Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજકોટનાં પંચનાથ પ્લોટમાં 200 વર્ષ જુના મકાનનાં પ્રથમ માળની ગેલેરીનો ભાગ અને બે રૂમ ધરાશય: કોઈ જાનહાનિ નથી : મનપાના ફાયર બ્રિગેડ વિભાગ, ટાઉન પ્લાનિંગ તથા બાંધકામ શાખા દ્રારા કાટમાળ હટાવાની કામગીરી ચાલુ

રાજકોટ: શહેરનાં પંચનાથ મંદિર સામે આવેલ વોર્ડ નં.7નાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં સાંજે 7:30 કલાકે 200 વર્ષ જુના મકાનનાં પ્રથમ માળની ગેલેરીનો ભાગ અને બે રૂમ ધરાશય થયો હતો. કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાની જાણ થતા મનપા તંત્રને થતા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

ફાયર બ્રિગેડ વિભાગ, ટાઉન પ્લાનિંગ  તથા બાંધકામ શાખા દ્રારા મકાનનો કાટમાળ હટાવાની કામગીરી યુધ્ધનાં ધોરણે કરવામાં આવી હતી . 

(8:19 pm IST)