Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિજયભાઈ રૂપાણીએ નવ મુમુક્ષુ આત્માઓને ગુજરાતની જનતાવતી શુભેચ્છા પાઠવી

 રાજકોટઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ને વંદન કરુ છું. મુમુક્ષુ આત્માઓની ત્યાગ ભાવનાને વંદન કરુ છું. આ આત્માઓ સંયમ અંગીકાર કરીને છકાયના જીવોને શાતા આપી સ્વ - પરનું કલ્યાણ કરશે.મુમુક્ષુ આત્માઓના માતા - પિતા સહિત તેઓના સમગ્ર પરિવારને ખૂબ ધન્યવાદ પાઠવું છે,જેઓએ અતિ શિક્ષીત અને યુવાધનને જિન શાસનને ચરણે અને ગુરુ શરણે જવાની સહર્ષ સમ્મતિ આપી તે બદલ તેઓને મારા અભિનંદન છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.પ્રેરિત અહમ્ યુવા સેવા ગ્રુપ અને Look n Learn ની પ્રવૃત્ત્િ।ઓની પણ સરાહના કરી.અંતમાં, શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે પ્રભુ મહાવીરનો ત્યાગ માર્ગ સર્વ શ્રેષ્ઠ છે.નવે - નવ આત્માઓ પૂ.ગુરુદેવ સમીપે સંયમ અંગીકાર કરી જૈન શાસનનું ગૌરવ વધારે,શીદ્ય્રાતિ શીદ્ય્ર પરમાત્મા બને તેવી સમગ્ર ગુજરાતની જનતા વતી શુભ કામના,શુભેચ્છા સહ અભિનંદન.

(2:51 pm IST)