Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોંગ્રેસમાં વિસ્ફોટઃ દિનેશ ચોવટીયાનું રાજીનામું: ટીકીટો વેંચાયાનો આક્ષેપ

જાહેર જીવનમાં જ રહેવાનો નિર્ધારઃ ભાજપ અથવા આપમાં જોડાશે?

રાજકોટ, તા., ૧૩: જીલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને ગઇ ધારાસભાની ચુંટણીના રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.દિનેશ ચોવટીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા સ્થાનીક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

તેઓ હવે ભાજપમા અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઇ તેવી શકયતા છે. હાલ તેમણે આગમનો નિર્ણય જાહેર કર્યો નથી.

દિનેશ ચોવટીયાએ રાજીનામા પત્રમાં પક્ષની નીતી રીતી સામે આક્રોશ વ્યકત કર્યો છે. કોર્પોરેશનની કેટલીક ટીકીટો લાખો રૂપીયામાં વેચાયાનો તેમનો આક્ષેપ છે. તેમણે પક્ષમાં સુધારાત્મક કાર્યવાહી બાબતે અવાર નવાર પક્ષનું ધ્યાન દોરવા છતા મોવડીઓએ કોઇ પગલા નહી લીધાનો આક્ષેપ કર્યો છે. તેમણે એકથી વધુ મુદ્દા આવરી લઇ ગંભીર આરોપ લગાવ્યા છે.

(3:43 pm IST)