Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રણછોડદાસજીબાપુ આશ્રમની ટીફીન સેવાનો ૧૭ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા પૂ. શ્રી રણછોડદાસજીબાપુના સિધ્ધાંતોને અનુસરી ભુખ્યાઅોને ભોજન કરાવવા શરૂ કરાયેલ નિઃશુલ્ક ટીફીન સેવા ૧૭ માં વર્ષમાં પ્રવેશી છે. નિઃસહાય લોકોને ઘરે બેઠા દાળ, ભાત, શાક, રોટલી સહીતની સામગ્રી સાથેનું ટીફીન પહોîચાડવામાં આવે છે. દર રવિવારે મિષ્ટાન અને ફરસાણ અપાય છે. નિઃશુલ્ક ટીફીનની આ સેવા મેળવવા શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમના કાર્યાલય, સદ્દગુરૂ આશ્રમ માર્ગ, કુવાડવા રોડ ખાતે સાંજે ૪ થી ૬ માં રૂબરૂ અથવા મો.૮૪૬૦૯ ૨૮૫૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:51 pm IST)