Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદની ઉજવણીઃ ઘરે- ઘરે નમાઝઃ કોરોનાથી મુકિત માટે દુઆ કરવામાં આવી

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસના ૩૦ રોઝા પૂર્ણ કરી ઘરે રહીને રોજ નમાઝ પઢીને દુઆઓ કરવામાં આવતી હતી.

આજે બુધવારે સવારે ફઝરની નમાઝ બાદ ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ દરેકે ઘરે રહીને અદા કરીને એક-બીજાને ઈદની મુબારક બાદી પાઠવી હતી અને ખાસ નમાઝ પઢીને કોરોનાની મહામારી નાબુદ થાય તે માટે તેમજ જે લોકો બીમાર છે તે લોકો જલ્દીથી સાજા થાય તે માટે દાઉદી વ્હોરા સમાજના લોકોએ દુઆઓ કરેલ હતી.

દાઉદી વ્હોરા સમાજના ભાઈ- બહેનોએ એક-બીજાને સોશ્યલ મીડિયા દ્વારા મુબારક બાદી પાઠવી હતી. તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસવાળાએ જણાવ્યું હતું.

(11:43 am IST)