Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગુરૂકુળના સંતોના હાથે બનેલ મહાપ્રસાદ આરોગી દર્દીઓ-સ્વજનો પ્રસન્ન

રાજકોટ : સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા સિવીલ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમરસ હોસ્પિટલ અને ગુરૂકુળમાં કોરોનાના દર્દીઓ તથા સાથે રહેલા સગા-સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી પ્રભુસ્વામીના જણાવ્યા મુજબ રોટલી, દાળ, ભાત, શાક વગેરે બનાવવામાં સંતો  જહેમત ઉઠાવી રહ્યા છે. ગુરૂકુળના અધ્યક્ષ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું માર્ગદર્શન છે. સુનિલ ગગે, મુકેશ ગગે, વિષ્ણુપ્રસાદ પાંડે, અમિત પાંડે, નિહાલ વગેરે રસોઇયાઓ રોજ સેવાભાવથી ૧૧૦૦ લોકોની રસોઇ  બનાવે છે. લાભાર્થીઓ મહાપ્રસાદ આરોગી પ્રસન્નતા વ્યકત કરી રહ્યા છે.

(3:01 pm IST)