Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શાપર પાસે ઢોલરાની નર્સિંગ કોલેજમાં મેંદરડાના અણીયારાની છાત્રા સ્વાતિઍ આપઘાત કર્યો

માતા-પિતા સાથે ફોનમાં વાત કર્યા બાદ પગલુ ભર્યુ : બે વર્ષથી જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૩: શાપર નજીક આવેલા ઢોલરા ગામની જય સોમનાથ નસિ*ગ કોલેજમાં અભ્યાસ કરતી મેંદરડાના અણીયારા ગામની છાત્રાઍ માતા-પિતા સાથે ફોનમાં વાતચીત કર્યા બાદ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ઢોલરામાં આવેલી જય સોમનાથ નર્સિંગ  કોલેજમાં બીજા વર્ષમાં નસિ*ગનો અભ્યાસ કરતી મુળ મેંદરડાના અણીયારા ગામની સ્વાતિ સુરેશભાઇ પાઘડા (ઉ.વ.૨૦)ઍ ગઇકાલે કોલેજની હોસ્ટેલના રૂમમાં કોઇ નહોતું ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. તેની સાથે રહેતી અન્ય છાત્રા રૂમ પર આવી ત્યારે સ્વાતિને લટકતાં જાતાં દેકારો મચાવી મુકતાં બીજી છાત્રાઓ અને હોસ્ટેલના બીજા લોકો દોડી આવ્યા હતાં. સ્વાતિને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપરના પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રવિવાર હોઇ રજા હતી. રવિવારે છાત્રાઓને તેના પરિવાર સાથે વાતચીત કરવા માટે મોબાઇલ આપવામાં આવે છે. ગઇકાલે સ્વાતિઍ માતા-પિતા સાથે વાતચીત કરી હતી. ઍ પછી તેણે કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધું હતું. કારણ અકળ હોઇ શાપર પોલીસે તપાસ યથાવત રાખી છે.

સ્વાતિ બે બહેન અને ઍક ભાઇમાં વચેટ હતી અને તેના પિતા ખેતી કરે છે. તેણી બે વર્ષથી આ કોલેજમાં અભ્યાસ કરતી હતી. 

(11:21 am IST)