Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

‘પરોક્ષ કર' વિષે સૂત્ર લેખન સ્‍પર્ધાઃ જીએસટીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત એક સપ્‍તાહ સુધી સિસ્‍ટર નિવેદિતા સ્‍કૂલ ખાતે ‘પરોક્ષ કર' વિષય પર સૂત્ર લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ધોરણ ૧૧ અને ૧૨ના ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  આ અંતર્ગત શ્રેષ્ઠ ૩ સ્‍લોગન પસંદ કરવામાં આવ્‍યા હતા અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા.  આ પ્રસંગે આયોજિત ઇન્‍ટરેક્‍ટિવ સેશન દરમિયાન એડિશનલ કમિશનર મુકેશ કુમારી, અધિક્ષક નિલેશ ગજરિયા અને દિલીપ પંડ્‍યાએ વિદ્યાર્થીઓને જીએસટી વિશે માહિતી આપીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૃત કર્યા હતા.

(2:50 pm IST)