Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા સાહિત્‍ય વિતરણ

રાજકોટ :  દેશના  વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી હંમેશા ગરીબો, શોષીતો, વંચિતો, અનુસૂચિત જાતી, પછાત વર્ગના કલ્‍યાણ માટે સમર્પિત છે.ત્‍યારે મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષોમાં દેશના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્‍યા છે ત્‍યારે ‘સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ' ના માઘ્‍યમથી દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યોથી આ અભિયાનની ઉજવણી  અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઘ્‍વારા વિવિધ કાર્યક્રમોના ભાગ રૂપે યુવા મોરચા ઘ્‍વારા ઈન્‍દીરા ચોક ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ સપ્‍તાહ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના પ્‍લેકાર્ડ દર્શાવી  જાગૃતિ લાવવા સાહિત્‍ય વિતરણ કાર્યક્રમ યોજાયો  હતો.  આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, વોર્ડપ્રમુખ પ્રદિપ નીર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વીરેન્‍દ્ર ભટૃ, યુવા મોરચાના મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા તેમજ આશાબેન ઉપાઘ્‍યાય, પ્રવીણ સેગલીયા, દેવ ગજેરા, અર્જુન ઝીંઝુવાડીયા, પ્રદીપ ધાંધલ, હેમલ વ્‍યાસ, પ્રતિક રાવલ, ચંદ્રેશ માખેલા, રાજ કુકડીયા, પાર્થ મોરસોણીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા. 

(2:51 pm IST)