Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગ્રાફોલોજી, જન્‍મ તારીખ અને એસ્‍ટ્રોલોજીના ત્રિવેણી સંગમથી સચોટ ભાવિ કથનઃ પાલી - રાજસ્‍થાનના પંડિત દિનેશ દિનકરજી ત્રણ દિવસ માટે રાજકોટમાં

રાજકોટ : દેશભરમાં ૩૦ હજાર શિષ્‍ય ભાઇ-બહેનોનો વિશાળ ચાહક વર્ગ ધરાવતા ભારતના નામાંકિત ગ્રાફોલોજીસ્‍ટ, જ્‍યોતિષાચાર્ય પંડિત દિનેશ દિનકરજીની અકિલામાં તેમની વિસ્‍તૃત મુલાકાત (૧૯ - મે ૨૦૨૨, પેઇજ નં. ૧૫ ઉપર) પ્રસિધ્‍ધ થયેલ. એ પછી અનેક લોકો તેમની મુલાકાતે પાલી ગયા હતા. પંડિતજીએ કહેલ કે ગ્રાફોલોજીથી અને જન્‍મતારીખ તથા જન્‍મસમય ઉપરથી સચોટ જ્‍યોતિષ કથન કરવું શક્‍ય છે.

પંડિતજીએ વરસાદ, ક્રિકેટ, રાજનીતિ વિ. અનેક ક્ષેત્રોમાં કરેલી આગાહીઓ મહદ અંશે સચોટ રહી છે.

પંડિત દિનકરજી રાજકોટ પધાર્યા છે. ગેરૈયા એજ્‍યુકેશનલ સંસ્‍થાઓના સંકુલના મોભી શ્રી વનરાજભાઇ ગેરૈયાના આમંત્રણથી તેમના મહેમાન બન્‍યા છે. શ્રી વનરાજભાઇના પરિવારના ૨૨ વ્‍યકિતઓને ભવિષ્‍ય માટેનું માર્ગદર્શન ઉપાયો તેમણે સૂચવ્‍યા હતા અને ખૂબ સંતુષ્‍ટ થયાનું વનરાજભાઇ જણાવે છે.

રાજકોટ, સૌરાષ્‍ટ્રના સંખ્‍યાબંધ લોકોના આગ્રહથી પંડિત દિનકરજી ત્રણ દિવસ રાજકોટ રોકાયા છે. જેમને મળવું હોય તેમણે પંડિત દિનેશ દિનકરજીનો નીચેના સ્‍થળે અને સમયે સંપર્ક કરવા વનરાજભાઇએ જણાવ્‍યું છે.

પૂ. પંડિત દિનેશ દિનકરજી

હોટલ માઉન્‍ટ પેલેસ, મોન્‍સ્‍ટર જીમ, પેડક રોડ,

ઇસ્‍ટ લાઇફ બિલ્‍ડીંગની સામે, રાજકોટ.

ફોન : ૯૮૨૯૫ ૫૫૫૭૯ - સમય : સવારે ૯ થી રાત્રે ૮ સુધી

પંડિતજીએ કે.સી.બોકડીયાની જેટલી ફિલ્‍મોના નામો આપ્‍યા તે બધા હીટ ગયાનું અને સંસદ પરના હુમલાની મહિના પૂર્વેની આગાહી કરી હતી તેમ જણાવાયેલ છે. તેમણે ૯ ગોલ્‍ડ મેડલ પણ પ્રાપ્‍ત કર્યા છે. પંડિતજી ૩ દિવસ સહુની લાગણીને માન આપી રાજકોટ રોકાયા છે.

 

 

 

 

 

 

ભાજપના વિસ્‍તારો શકિત કેન્‍દ્રોના પ્રવાસે : પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ થી ૧૩ જૂન દરમ્‍યાન રાજયભરમાં અલ્‍પકાલીન વિસ્‍તારક યોજનાનો પ્રારંભ થઈ રહયો હોય  અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત શકિતકેન્‍દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ૩ દિવસ  માટે વિસ્‍તારક તરીકે જશે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અલ્‍પકાલિન યોજનાના રાજકોટ મહાનગરના સંયોજક નરેન્‍દ્રસિહ ઠાકુર, સહ સંયોજક દીવ્‍યરાજસિહ ગોહિલ, સોનલબેન ચોવટીયાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઘ્‍વારા આજ તા.૧૧ જૂન થી ૧૩ જુન દરમ્‍યાન ત્રણ દિવસીય વિસ્‍તારક યોજનાનો પ્રારભં કરવામાં આવ્‍યો હતો, જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ વિસ્‍તારક તરીકે વોર્ડ નં. ૬ માં બુથ નં.૧૪૮માં પ્રવાસથી  પ્રારંભ કરેલ હતો. આ તકે વોર્ડના પ્રભારી, પ્રમુખ, વોર્ડ મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.  આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે વિસ્‍તારક યોજના દરમ્‍યાન વિસ્‍તારો પોતને ફાળવાયેલ શકિતકેન્‍દ્રનો પ્રવાસ કરશે તેમજ પોતાને ફાળવાયેલ શકિતકેન્‍દ્રના સંયોજકના ઘેર રાત્રી રોકાણ કરી બુથ અને પેજ સમિતિ સુધી સંગઠનાત્‍મક ઢાંચો સુવ્‍યવસ્‍થિત થાય તે દિશામાં કામગીરી કરશે. તેમજ બુથ કક્ષાએ બેઠકો, દરેક બુથમાં શકિતકેન્‍દ્ર સંયોજક, બુથ અઘ્‍યક્ષ, બીએલએ-ર, વોટસઅપ ગ્રુપ ઈન્‍ચાર્જ તથા પેજસમિતિના સભ્‍યો સાથે ચર્ચા-પરામર્શ કરશે. તેમજ બુથ તથા પેજસમિતિના સભ્‍યો પાર્ટીના પ્રાથમિક સભ્‍ય  ન બન્‍યા હોય તેને પ્રાથમિક સભ્‍ય બનાવવા, પ્રદેશ ભાજપ ઘ્‍વારા અપાયેલ કીટ કે જેમાં ભાજપ સરકારની સિઘ્‍ધીઓ, વિવિધ લોકકલ્‍યાણકારી અને જનહીતકારી યોજનાનો વિસ્‍તૃત માહિતી પ્રવાસ દરમ્‍યાન મળનારા આગેવાનો તેમજ ઘેર-ઘેર જનસંપર્કના માઘ્‍યમથી પહોંચાડવી જેવા કાર્યો કરવામાં આવશે.

(3:01 pm IST)