Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કિશન સોસાયટીમાં વૃધ્‍ધા જમકુબેન સરવૈયાનું બાથરૂમમાં અગ્નિસ્‍નાનઃ મોત

મોચી વૃધ્‍ધાને ચાર મહિનામાં બબ્‍બે વખત ગોળાના ઓપરેશન કરાવવા પડતાં કંટાળી ગયા'તા

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ પર કિશન સોસાયટી-૩માં રહેતાં જમકુબેન ગોરધાનભાઇ સરવૈયા (ઉ.વ.૮૫) નામના મોચી વૃધ્‍ધાએ ઘરના બાથરૂમમાં જઇ અગ્નિસ્‍નાન કરી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.

જમકુબેન સવારે ટોયલેટ માટે બનાવાયેલી પ્‍લાસ્‍ટીકની ખુરશી સાથે બાથરૂમમાં ગયા હતાં. થોડીવાર બાદ ધૂમાડા નીકળવા માંડતાં પરિવારજનોએ તપાસ કરતાં તેમણે અગ્નિસ્‍નાન કરી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગરમાં જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર જમકુબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. છેલ્લા ચાર મહિનામાં બબ્‍બે વખત ગોળાનું ઓપરેશન કરાવવું પડયું હોઇ પીડા સહન ન થતી હોવાથી તેમણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:31 pm IST)