Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

માલિયાસણમાં જીનીંગ મીલમાં શનિવારે લાગેલી ભિષણ આગ આજે કાબૂમાં આવીઃ મોટુ નુકસાન

રાજકોટ તા. ૧૩: રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ પાસે ત્રિમંદિર નજીક આવેલી નટવરલાલ કલ્‍યાણજી કોટન કોર્પોરેશન નામની જીનીંગ મીલમાં શનિવારે સાંજે લાગેલી આગ આજે કાબૂમાં આવી હતી. આગમાં ખુબ મોટી નુકસાનીનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ નટવરલાલ કલ્‍યાણજી કોટન કોર્પોરેશનમાં શનિવારે આગ લાગ્‍યાની જાણ થતાં ફાયર ફાઇટરો દોડાવાયા હતાં. સતત ત્રણ દિવસ સુધી પાણીનો મારો ચલાવાયો હતો. વધારાની ગાડીઓ પણ બોલાવાઇ હતી. સતત ત્રણ દિવસની જહેમત બાદ આજે આગને સંપુર્ણ કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની આ કામગીરી દરમિયાન ચાર હોર્સ પાઇપ પણ ફાટી ગયા હતાં.

આગની જ્‍વાળાઓ દૂર સુધી જોવા મળી હતી. ભિષણ આગને કારણે જીનીંગમાં ખુબ મોટી નુકસાની થયાનું જણાવાઇ રહ્યું છે. આગ શોર્ટ સરકિટથી લાગ્‍યાનુ઼માલિક નટવરલાલ કલ્‍યાણજી ભોજાણી અને દેવેનભાઇ ભોજાણીએ ફાયર બ્રિગેડને જણાવ્‍યું હતું. 

(3:41 pm IST)