Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બઢતી પામેલા ૧૨૯ પોલીસ કર્મચારીઓનો પીનમ સેરેમની

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મીણા અને તમામ એસીપીની ઉપસ્થિતિ

રાજકોટઃ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતાં ૧૨૯ પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા છેલ્લા એઠવાડીયામાં બઢતી આપવામાં આવી છે. જેમાં કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ તમામ બઢતી પામનારા કર્મચારીઓ માટે હેડકવાર્ટર ખાતે પીનપ સરેમની રાખવામાં આવી હતી. જેમાં શ્રી અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા તમામ એસીપીના હસ્તે પીનપ કરવામાં આવ્યું હતું. ૧૯૯૪ની બેચના આર્મ્ડ કોન્સ્ટેબલને લગભગ ૨૬ વર્ષ પછી બઢતી મળી છે. એ જ રીતે આર્મ્ડમાં  ૧૭ વર્ષની નોકરી પુરી કરી હોઇ તેવા ૭૫ કોન્સ્ટેબલને બઢતી અપાઇ છે. ૨૦૦૩માં નિમણુંક થઇ હોય તેવા હેડકોન્સ.ને પણ બઢતીનો લાભ મળ્યો છે. પાંચ વર્ષની લોકરક્ષકની નોકરી પુરી કરનારાને પણ પ્રમોશનનો લાભ મળ્યો છે.
 

(11:13 am IST)