Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાતું સ્નેહ મિલન આ વર્ષે નહી યોજાય

રાજકોટ,તા.૧૩: રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે દીપાવલી- નૂતન વર્ષ નિમિતે રણજીત વિલાસ પેલેસ, કચેરી ખાતે યોજાતું સ્નેહમિલન આ વર્ષે પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને લીધે યોજાશે નહી.

સંદેશો વ્યવહારના વિવિધ માધ્યમો, ટેલીફોન, વ્હોટ્સએપ વગેરે દ્વારા એક બીજાને દિવાળી અને વિક્રમ સંવતના નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ એ જ અત્યારના સંજોગોમાં હિતાવહ છે. દિવાળી અને નવા વર્ષ નિમિત્તે નગરજનો, ક્ષત્રિય સમાજના લોકોને શુભેચ્છા સાથે નવું વર્ષ સૌ કોઈ માટે શારીરિક, આર્થિક, માનસિક સુખાકારી લાવે તેમ અંતમાં જણાવેલ.

(2:48 pm IST)