Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોના કહેર વચ્ચે મોંઘવારીનો માર પણ યથાવત! કપાસીયા તેલમાં ર૦ રૂ.નો ઉછાળો

રાજકોટ તા. ૧૪: કોરોના કહેર વચ્ચે મોંઘવારીનો માર પણ યથાવત રહ્યો છે આજે ખાદ્યતેલોમાં કપાસીયા તેલમાં વધુ ર૦ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે કપાસીયા તેલમાં ર૦ રૂાનો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૬પ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૮પ રૂ. ભાવ બોલાયા હતા જયારે કપાસીયા ટીનના ભાવ રરપ૦ થી રર૮૦ રૂ. હતા તે વધીને રર૭૦ થી ર૩૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. ચાલુ વર્ષે સીંગતેલની સાથે અન્ય ખાદ્યતેલોના ભાવો પણ ભડકે બળતા સામાન્ય લોકો માટે ખાદ્યતેલ રોજીંદા વપરાશ માટે મુશ્કેલ બન્યું છે.

બપોર સુધીમાં કપાસીયા તેલ સિવાય અન્ય ખાદ્યતેલોનો ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:48 pm IST)