Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

શહેરીજનોને પરશુરામ જયંતિ-અક્ષય તૃતીયાની શૂભેચ્છાઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજયંતિની શુભેચ્છા પાઠવી છે.

પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શકિત, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે. માન્યતા એ પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે. અખાત્રીજની ભગવાન પરશુરામ અવતારની પણ શુભ ઘડી માનવામાં આવે છે. આ માટે આ દિવસ ખાસ પ્રકારે ભગવાન પરશુરામની પુજા કરી તેની ઉપાસનામાં વિશેષ મંત્રજાપ કરવાથી માનસિક સંતાપ, પરેશાનીઓનો અંત થાય છે. તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને ભગવાન પરશુરામજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતાએ જણાવ્યું હતું.

(2:59 pm IST)