Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ડીએમએલ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ

 રામનાથપરા મુકિતધામ ખાતે સરગમ કલબ દ્વારા કોરોનાના કપરા કાળમાં મૃતકોના અંતિમ સંસ્કારની સેવા ચાલી રહી છે. ત્યારે અગ્રણી ઉદ્યોગપતિ અને ડીએમએલ ગ્રુપના હરીશભાઇ જયંતિલાલ લાખાણી પરિવાર તરફથી સરગમ કલબને અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સરગમ કલબ પાસે એક શબવાહીની અને નાની મોટી ત્રણ એમ્બ્યુલન્સ થઇ છે. હરીશભાઇ લાખાણીના જન્મ દિવસે આ એમ્બ્યુલન્સ અર્પણ થયેલ ત્યારે તેમના પૂત્રો દર્શન લાખાણી અને ચિરાગ લાખાણી સાથે ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓ માટે સવલત વધશે. તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યુ છે. સાથો સાથ આ કપરા સમયમાં સરગમ કલબે પણ ઓકસીજનના ૨૫૦ બાટલાની ખરીદી કરી સેવામાં આપ્યા હતા.

(3:03 pm IST)