Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટના જેમ્‍સ અને જવેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્‍ટર ગ્રોથ એન્‍જિન સાબીત થશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા રૂા.૬ કરોડના ખર્ચે બનેલુ જવેલરી સી.એફ.સી. ખુલ્લુ મુકાયુ : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્‍પને આત્‍મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી સાર્થક કરીશું: ઈન્‍ડસ્‍ટ્રીયલ સેકટરના વિકાસમાં ગુજરાત નવી ઉંચાઈ સર કરી રહ્યું છે

રાજકોટઃ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું છે કે, ઇન્‍ડસ્‍ટ્રીયલ સેક્‍ટરના વિકાસમાં ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી નવી ઉચાઈ સર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્‍પને આત્‍મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી  સાર્થક કરીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગઈકાલે રાજકોટમાં જવેલરી કલ્‍સ્‍ટર  ફેડરેશન રાજકોટ દ્વારા રૂા. ૬ કરોડની ગ્રાન્‍ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી ( કોમન ફેસીલીટી સેન્‍ટર )  ખુલ્લુ મૂક્‍યું હતું.
આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, કોમન ફેસિલિટી સેન્‍ટર  રાજકોટના જેમ્‍સ એન્‍ડ જવેલરી ક્ષેત્રનું ગ્રોથ એન્‍જિન સાબિત થશે. રાજકોટમાં દોઢ લાખથી વધુ લોકો જેમ્‍સ જવેલરી ક્ષેત્રે કામ કરી રહ્યા છે. પંદર હજાર જેટલા યુનિટો રાજકોટમાં કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના  કોમર્સ અને ઇન્‍ડસ્‍ટ્રીઝ વિભાગ દ્વારા રાજકોટના જેમ્‍સ એન્‍ડ જવેલરી ક્ષેત્રના કોમન ફેસિલિટી સેન્‍ટર માટે સહાય કરી છે. રાજકોટના સોની બજારના નાના ધંધાર્થીઓ માટે આધુનિક મશીન ઉપર કામગીરી કરવી સી.એફ.સી સેન્‍ટરના કારણે શક્‍ય બનશે.
 મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે આ સંદર્ભે વધુમાં જણાવ્‍યું કે, સરકારની યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોના ઘરે- ઘરે પહોંચે તે માટેનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે.
સરકાર દ્વારા વચિતો ગરીબો માટે આવાસ પ્‍લોટ, માર્ગ, વીજળી, ગેસ કનેક્‍શન પાણી સહિતના પાયાના કામો થઈ રહ્યા છે. કોરોનાને નાથવામાં રસીકરણ ઝુંબેશ અને અનાજ વિતરણ કરી સરકારે  પ્રજાહિતલક્ષી કાર્યો કર્યા છે.
જવેલરી ક્‍લસ્‍ટર ફેડરેશનના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પાટડીયાએ આ તકે સેન્‍ટર દ્વારા લેટેસ્‍ટ મશીન દ્વારા જવેલરી મેન્‍યુફેક્‍ચરિંગ કઈ રીતે તૈયાર થાય છે તેની રૂપરેખા પૂરી પાડી હતી.
GJEPCના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાએ રાજકોટ ખાતે સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ ની મદદથી તૈયાર થયેલ કોમન ફેસિલિટી સેન્‍ટરનને મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ખુલ્લુ મુકવા બદલ અભિવાદન કરતાં જણાવ્‍યું હતું કે, રાજકોટમાં પણ ખૂબ મોટા પાયે ગોલ્‍ડ અને સિલ્‍વર જવેલરી નું પ્રોડક્‍શન થઈ રહ્યું છે ત્‍યારે રાજકોટમાં જવેલરી પાર્ક ઊભો કરવા મુખ્‍યમંત્રીશ્રીને સૂચન કરાયું હતું જેના થકી રાજકોટ ખાતે  મોટા પાયે રોજગારી  થવાની શક્‍યતા દર્શાવી હતી.
૨૩૦૦ ચોરસફૂટ કાર્પેટ એરિયામાં ધરાવતું સી.એફ.સીના કારણે નાના ધંધાર્થીઓ અને ઉપયોગી થશે સામાન્‍યચાર્જ દ્વારા ધંધાર્થી તે વાપરી શકશે. આ મશીનોના કારણે કામમાં ઝડપ વધતા ઉત્‍પાદકતામાં સુધારો થશે.
આ તકે સીએફસી સેન્‍ટરના ઉપયોગિતા વિશેની વિડિયો ફિલ્‍મ રજૂ થઈ હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી,   સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદ ભાઈ પટેલ અને શ્રી લાખાભાઈ સાગઠીયા,  મેયર ડો. પ્રદીપભાઈ ડવ,   અગ્રણીશ્રી રાજુભાઈ ધ્રુવ , કમલેશભાઈ મીરાની, અગ્ર સચિવશ્રી પંકજભાઈ જોશી,કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ,જવેલરી ક્‍લસ્‍ટર ફેડરેશનના પ્રમુખશ્રી ચંદ્રેશભાઈ પાટડિયા, શ્રી પ્રવીણ ભાઈ વૈધ, જીજેઇપીસી આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર રજતભાઈ વાણી, ઝાલાવાડી વિશાશ્રી માળી , સોની સમાજના પ્રમુખશ્રી પુનિતાબેન પારેખ, ઉપપ્રમુખ શ્રી નેમિષભાઈ પાટડિયા, કાર્તિકભાઈ બારભાયા, પ્રશાંતભાઈ પાટડિયા , ધર્મેશભાઈ પાટડિયા , દિનેશભાઈ રાણપરા, હરકિશન ભાઈ આડેશરા, કેતનભાઈ પાટડિયા તથા સોના- ચાંદીના વ્‍યપાર સાથે જોડાયેલા વેપારીઓ,  મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(12:03 pm IST)