Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રેલ્વે પોલીસ મથકના એએસઆઇ સી. કે. રાઠોડનું ચાલુ નોકરીએ મૃત્યુ

રાતે ફરજ પર બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૪: જંકશન રેલ્વે પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં સી. કે. રાઠોડ (છગનભાઇ ખીમાભાઇ રાઠોડ) (ઉ.વ.૫૫)નું ચાલુ નોકરીએ બેભાન થઇ જતાં મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

રેલ્વે પોલીસના એેએસઆઇ છગનભાઇ ખીમાભાઇ રાઠોડ (રહે. રેલનગર) રાતે એક વાગ્યે જંકશન રેલ્વે સ્ટેશન પોલીસ મથકમાં પોતાની ફરજ પર હતાં ત્યારે અચાનક તબિયત બેગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં સાથી કર્મચારીઓએ પહોંચાડ્યા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. એક પુત્ર આર્મીમાં છે, બીજા આઇટીઆઇમાં છે.

મૃત્યુ પામનાર એએસઆઇ સી. કે. રાઠોડ મુળ મોરબીના દહીંસરાના વતની હતાં. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

(12:57 pm IST)