Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મહારાણાપ્રતાપજીને પુષ્પાંજલી

 રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા હિંદવા સૂરજ ક્ષત્રિય કુળ ભૂષણ શ્રી મહારાણાપ્રતાપજીની જન્મ જયંતિની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. કોવિડ ગાઇડ લાઇનને અનુસરીને સોરઠીયાવાડી ખાતે આવેલ શ્રી મહારાણાપ્રતાપજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. જય માં ભવાની, જય માં કરણી, જય એકલિંગજી, જય સોમનાથ, જય શ્રી મહારાણા પ્રતાપજીના નારાઓ લગાવી શૌર્યગીતો સાથે પુષ્પાંજલી અર્પવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સર્વશ્રી ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, માવજીભાઇ ડોડીયા, રમેશસિંહ ચાવડા, જીણાભા ચાવડા, કિશોરસિંહ રાઠોડ, મહેશસિંહ રાજપૂત, અરૂણસિંહ સોલંકી, નવલસિંહ ચુડાસમા, અરજનજી રાઠોડ, બળદેવસિંહ સિંધવ, રણજીતસિંહ દાહીમા, ધીરૂભા ડોડીયા, અજયસિંહ પરમાર, સંદીપસિંહ ડોડીયા, વિનુભા સિંધવ, વિક્રમસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા, બહારદુરભાઇ માંજરીયા, રમેશસિંહ ચૌહાણ, ધીરૂભા રાઠોડ, જયસુખસિંહ રાઠોડ, પ્રવીણસિંહ હેરમા તથા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ક્ષત્રાણી પાંખ, ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, જય ભવાની રાજપૂત યુવા સેના, ક્ષત્રિય રાજપૂત સમાજ બંધુઓ, ક્ષત્રાણીઓએ ઉપસ્થિત રહેલ.

(3:45 pm IST)