Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સીતારામ સોસાયટીમાં સાળાના ઘરે બેભાન થઇ જતા કમલેશભાઇનું મોત

રાજકોટ તા.૧૪ : કોઠારીયા સોલવન્ટમાં સિતારામ સોસાયટીમાં સાળાના ઘરે આવેલા સુરતના યુવાનનું બેભાન થયા બાદ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ સુરત શાલીગ્રામ ફલોરમાં રહેતા કમલેશભાઇ મનસુખભાઇ વાંજા (ઉ.૪પ) રાજકોટ કોઠારીયા સોલવન્ટમા઼ સિતારામ સોસાયટી-શેરી નં. પમાં રહેતા સાળા ગૌત્તમભાઇના ઘરે આવ્યા હતા ગઇકાલે તે ઘરે હતા ત્યારે અચાનક બેભાન જઇ જતા તેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્ટિલમાં ખસેડાયા હતા ત્યાં તેનુંસારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક કમલેશભાઇ સુરતમાંહિરાઘસવાનું કામ કરતા હતા આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બેભાન થઇ જતા ચંદ્રેશભાઇનું મોત

ગોંડલ રોડ પર પંડીત દિન દયાળનગરમાં રહેતા ચંદ્રેશભાઇ જેરામભાઇ જીંઝુવાડીયા (ઉ.૪૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)