Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

એ.જે.પી.જાડેજા હું નથી

કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષનો ખુલાસો

રાજકોટઃ વ્યાજખોરીની ઘટનામાં ગુમ થયેલ પરિવારજનોએ ચિઠ્ઠી લખી તેમના ગુમ થવા પાછળ રાજકોટના બિલ્ડર જે.પી. જાડેજાની હાથ હોવાથી કેફીયત આપી છે. તે જે.પી. જાડેજા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા નહિ પરંતુ અન્ય કોઈ વ્યકિત છે. તેવો જાહેર ખુલાસો કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા તરફથી કરવામાં આવ્યો છે.

મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ જાહેર જીવનના અગ્રણી અને શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા પર લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થતાં તેમને આ પ્રકારની હકીકત બની હોવાનું માલુમ પડતાં તેમણે એ ઘટનામાં સંડોવાયેલા વ્યકિત તેમના જ નામ ધારી અન્ય કોઈ વ્યકિત છે. અને તેમને આ પ્રકારની કોઈપણ ઘટના સાથે કશું લાગતું વળગતું નથી. તેવો જાહેર જનતા જોગ નિવેદન આપી ખુલાસો કરેલ છે. જેની જનતાએ નોંધ લેવા યાદીનાં અંતમાં જણાવાયું છે.

(5:17 pm IST)