Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટ શહેરના બ્રહ્મસમાજના તારલાઓનું સન્‍માન

બ્રહ્મદેવ સમાજ, રાજકોટ દ્વારા જુલાઈમાં સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમનું આયોજનઃ નામ નોંધણી

રાજકોટ, તા.૧૪: રાજકોટ બ્રહ્મદેવ સમાજ અને રાષ્‍ટ્રીય સચીવ મીલનભાઈ શુકલના નેજા હેઠળ આગામી તા.૧૦ જુલાઈના રોજ બપોરે ૨ કલાકે અરવિંદભાઈ મણીયાર હોલ (જયુબેલી ગાર્ડન) ખાતે સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

બ્રહ્મ સમાજના ભણતા ધોરણ ૧૦ અને ૧૨ના (આર્ટસ, કોર્મસ, સાયન્‍સ)ના વિદ્યાર્થી કે જેઓને ૭૦ટકા ઉપર આવ્‍યા હોય તેઓએ વિરાગભાઈ જોષી મો.૯૫૫૮૯ ૪૮૩૨૧, જીજ્ઞેશભાઈ ત્રિવેદી મો.૭૩૫૯૨ ૯૩૪૧૬, વિપુલભાઈ જાની મો.૯૦૯૯૯ ૪૬૯૧૧, આનંદભાઈ પુરોહીત મો.૭૬૯૮૬ ૪૩૪૩૮, દેવાંગભાઈ ઠાકર મો.૯૮૭૯૮ ૩૬૩૮૪નો સંપર્ક કરવો. રાજકોટ શહેરના બ્રહ્મ સમાજના છાત્રો માટે જ કાર્યક્રમ સિમિત હોવાનું યાદીમાં જણાવાયું છે.

તા.૨૫ જુન સુધીમાં નામ મોકલી દેવાં વધુ વિગત માટે બ્રહ્મદેવ સમાજના પ્રમુખ વિરાગભાઈ જોષી મો.૯૫૫૮૯ ૪૮૩૨૧, યુવા પ્રમુખ આનંદભાઈ પુરોહીત મો.૭૬૯૮૬ ૪૩૪૩૮નો સંપર્ક કરવો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બ્રહ્મ સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ વિરાગભાઈ જોષી, ઉ.પ્રમુખ જીજ્ઞેશભાઈ ત્રિવેદી, મહામંત્રી વિપુલભાઈ જાની, ઉપપ્રમુખ મનોજભાઈ રાજગોર, યુવા પ્રમુખ આનંદભાઈ પુરોહીત ઉ.પ્રમુખ દેવાંગભાઈ ઠાકર અને સંગઠન મંત્રી નિヘલ જોષી તથા ચીમનભાઈ સાકરીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)