Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગાંધીજીના જીવન અને સિધ્‍ધાંતોની માહિતી મેળવતા ૪૦૭૩ મુલાકાતીઓ

મે મહિનામાં મનપા સંચાલીત આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલ સ્‍થિત મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત લઇ : પોસ્‍ટ ડીરેકટોરેટના જનરલ મેનેજર કૌશલ વશિષ્‍ઠ અને ૪ વિદેશી નાગરિકો અભિભૂત બન્‍યા

રાજકોટ, તા. ૧૪ : મનપા સંચાલીત મહાત્‍મા ગાંધી મ્‍યુનિયમ આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલ ખાતે મે માસમાં ૪૦૭૩ મુલાકાતીઓએ મ્‍યુઝીનિયમની મુલાકાત લઇ ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૯ સ્‍કુલના ૪૩પ બાળકોએ પણ મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે. એપ્રિલ ર૦૧૮ માં મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્‍યું ત્‍યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ મુલાકાતીઓએ મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત મે ર૦રર ના માસમાં પોસ્‍ટલ ડિરેકટોરેટના જનરલ મેનેજર કૌશલ વશિષ્‍ઠ ઉપરાંત ઓસ્‍ટ્રેલીયાના ર, રશિયાના ૧ અને અમેરિકાના ૧ નાગરિકે પણ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે.

(5:34 pm IST)