Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખાદ્યતેલોમાં વધુ ૧૦ રૂા.નો ઘટાડો

સીંગતેલ, કપાસીયા તેલ અને પામતેલના ભાવ તૂટયા

રાજકોટ, તા., ૧૪: ખાદ્યતેલોમાં મંદીનો દોર જારી રહયો છે. આજે વધુ ૧૦ રૂા.નો ઘટાડો થયેલ છે.  પામતેલની આયાતો વધતા તમામ ખાદ્યતેલોના ભાવો તૂટી રહયા છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવ ઘટાડો થતા સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રા.ના ભાવ ૧પ૮૦ રૂા. હતા તે ઘટીને ૧પ૭૦ તથા સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૩પ થી ર૭૮પ રૂા.હતા તે ઘટીને ર૭રપ થી ર૭૭પ રૂા. થયા છે.  સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા. તૂટતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૮૦ રૂા. હતા તે ઘટીને ૧૪૭૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ રપ૮૦ થી ર૬૩૦ રૂા. હતા તે ઘટીને રપ૭૦ થી ર૬ર૦ રૂા. થયા છે. પામપેલમાં ૧૦ રૂા. ઘટતા પામતેલ લુઝનો ભાવ ૧૪રપ રૂા. હતા તે ઘટીને ૧૪૧પ તથા પામતેલ ટીનના ભાવ ર૩૦૦ થી ર૩૦પ હતા તે ઘટીને રર૮૦ થી રર૯પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

(5:10 pm IST)