Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જામનગર રોડ પર અકસ્માતમાં ઘવાયેલા ધ્રોલના અમીર બાહદીદાનું મોત

એક મહિના પહેલા બાઇક પર મિત્ર રાજકોટથી ધ્રોલ જતી વખતે અકસ્માત સર્જાયો'તો

રાજકોટ તા. ૧૪ : જામનગર રોડ પર સૈનીક સોસાયટીના બસ સ્ટેન્ડ સામે એક મહિના પહેલા બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઘવાયેલા ધ્રોલના યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ધ્રોલની રીઝવી સોસાયટી પાસે રહેતા અમીર રશીદભાઇ બાહદીદા (ઉ.૨૧) તેના મિત્ર મુનાફ બસીરભાઇ સોલંકી (ઉ.૨૨) (રહે. મેમણ ચોક અખાઇ ફળીયુ થાણાખાડ પાસે ધ્રોલ) બંને સોડાની એજન્સી લેવાની હોઇ તેથી તા. ૧૫/૬ના રોજ બંને જીજે૧૦એકયુ-૫૨૦૨ નંબરના બાઇક પર રાજકોટ આવ્યા હતા. બાદ બંને કામ પૂર્ણ કરી ધ્રોલ જતા હતા ત્યારે જામનગર રોડ સૈનિક સોસાયટીના બસ સ્ટેન્ડ પાસે અજાણી ફોરવ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા બંને મિત્રો ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક કાર લઇને નાશી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અમીર બાહદીદાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી બાદ બંનેને સારવાર માટે પ્રથમ સિનર્જી હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ત્યાંથી તા. ૧૬/૬ના રોજ અમદાવાદથી ધ્રોલ લાવતા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ગઇકાલે મિત્ર મુનાફ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણી ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.બી.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)