Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વાલ્મીકી યુવાનની હત્યા સંદર્ભે કલેકટરને આવેદન

તાજેતરમાં રાજસ્થાન રાજયના ઝાલાવાડ ખાતે અનુ. જાતિ પૈકી વાલ્મીકી સમાજના યુવાનને બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાના ધૃણાસ્પદ બનાવના વિરોધમાં આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુ. જાતિ મોરચાના કાર્યકર્તાઓ ઉપર પણ લાઠીચાર્જ કરીને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા ગંભીર રૂપથી ઘાયલ કરવામાં આવેલ. આ અંતર્ગત પ્રદેશ ભાજપ અનુ. મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, રાજકોટ શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારધી, વજુભાઇ લુણસીયાની આગેવાનીમાં કમલેકટર કચેરી ખાતે કલેકટર આવેદનપત્ર એનાયત કરવામાં આવેલ. આ તકે જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા, અનીલ મકવાણા, જીજ્ઞેશ રત્નોતર, નીતીન બારોટ, મુકેશ પરમાર, ઇશ્વરભાઇ જીતીયા, શોભીત પરમાર, રવીન્દ્ર ગોહેલ, અનીલ શ્રીમાળી, દીનેશ સોલંકી, દીનેશ બારોટ, જયસુખ બારોટ, અજય વાઘેલા, પ્રવીણભાઇ ચાવડા, બકુલભાઇ મકવાણા, વિજય પરમાર, અનીલ વાડોદરા, યૌવન મેવાડા, જેન્તીભાઇ ધાંધલ, રમેશ જેઠવા, ભરતભાઇ મેવાડા, બાવનભાઇ ચુડાસમા, સંજય બગડા, ભરત બગડા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:40 pm IST)