Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આપના ગોપાલ ઇટાલીયા સામે કડક પગલા ભરો : કલેકટરને આવેદન

આપના ગોપાલ ઇટાલીયા વિરૂધ્ધ રાજકોટમાં કલેકટરને આવેદન પાઠવાયેલ. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૪ :  આપના નેતા ગોપાલ ઇટાલીયા વિરૂધ્ધ આજે રાજકોટ સહિત ૧પ૦ તાલુકા-જીલ્લામાં કલેકટરને આવેદન આપી પગલા લેવા માંગણી કરાઇ હતી. રાજકોટના દુર્ગા સેનાના બેનર હેઠળ આગેવાનો પરશુભાઇ પંડ્યા, કશ્યપભાઇ, મોનીશ જોષી, પ્રતિક બલભદ્ર, જીગ્નેશ જાનીએ આવેદન પાઠવી જગતગુરૂ શંકરાચાર્યજી અને વિજય હિન્દુ પરીષદનું સમર્થન હોવાનું ઉમેર્યુ હતુ તથા ગોપાલ ઇટાલીયાઅએ હિન્દુ વિરોધી નિવેદન વખોડી કાઢી, આવનારા સમયમાં અન્ય કોઇ આવા નિવેદનો ન કરે તેવા કડક પગલા લેવા સરકાર સમક્ષ માંગણી કરાઇ હતી.

(2:41 pm IST)