Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભારે વરસાદને કારણે વીજતંત્રને લાખોનું નુકસાનઃ પ૪પ થાંભલા પડી ગયાઃ ૧૪પ ગામો લાઇટ વિહોણાઃ ૪૪પ ફીડર બંધ

આજે સવારે ૧૦ વાગ્યાના લેટેસ્ટ રીપોર્ટ મુજબ ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રને લાખોનું નુકશાન થયું છેઃ ર૪ કલાકમાં પ૪પ થાંભલા પડી જતા ટીમો લાઇનો પર દોડી છે : એમાં રાજકોટ ગ્રામ્યમાં ર૬૬ તો જામનગર ક્ષેત્રમાં ૧૮૦ પોલ તૂટી પડયા છેઃ ખેતીવાડીના ૩૯૬ અને જે. જી. વાયના ૪૭ થઇને કુલ ૪૪પ ફીડર બંધ થઇ જતા તે રીસ્ટાર્ટ કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ર૩ અને જામનગર જીલ્લાના ૮પ ગામો સહિત કુલ ૧૪પ ગામોમાં અંધારપટ છવાયો છે.

(11:42 am IST)