Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જે. કે. ચોક ગણેશમય

શિવ શકિત યુવા ગ્રુપ દ્વારા યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોકમાં ગણેશજીનું સ્થાપન કરાયુ છે. છેલ્લા ૧૧ વર્ષથી ઉજવાતા આ ગણેશ મહોત્સવમાં સફેદ ઉંદર આકર્ષણરૃપ બની રહે છે. કોવિડ-૧૯ ગાઇડ લાઇનના પાલન સાથે ઉજવાતા આ મહોત્સવમાં દરરોજ રાત્રે ૮ વાગ્યે આરતી કરવામાં આવે છે.    રાત્રે ૧૨ સુધી દર્શન ખુલ્લા રહે છે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા શિવશકિત યુવા ગ્રુપના કુલદીપસિંહ જાડેજા અને બલરાજસિંહ રાણાએ અનુરોધ કરેલ છે. 

(4:38 pm IST)