Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગરબાને પણ કોરોનાનું ગ્રહણ : ૬૦ થી ૭૦ ટકા વેચાણ

રાજકોટ : શનિવારથી શરૂ થતા માતાજીના આરાધના નવલા નોરતામાં આ વખતે કોરોનાનું ગ્રહણ નડ્યું છે.અર્વાચીન તથા પ્રાચીન આયોજકો દ્વારા અગાઉથી જ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી દીધી હતી. લોકો મનભરીને નવરાત્રી માણતા હોય છે. અને શ્રધ્ધાપૂર્વક માતાજીની આરાધના કરતો હોય છે. શહેરની મહિલા કોલેજ પાસે છેલ્લા ૩૦ વર્ષથી ગરબાનું વેચાણ કરતા મુકેશભાઇ વાડોલીયાએ જણાવેલ કે આ વર્ષે ગરબાનું વેચાણ ૬૦ થી ૭૦ ટકા જેટલું છે. અને ગરબાના ભાવ પણ ૨૦ થી ૨૦૦ રૂપિયા સુધીના છે. કોરોના અને તેના લીધે કરવામાં આવેલ લોકડાઉનના લીધે લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે જેની અસર તહેવારોમાં પણ જોવા મળી રહી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:49 pm IST)