Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પૂ.ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

રાજકોટ,તા.૧૪: પૂ. ઇન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રય ખાતે સોનલ સદાવ્રત સમારોહ યોજાયેલ.

દરેકને જીવન જરૂરીયાતની વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.જેમાં મસાલાવાળી છાસનું પણ વિતરણ કરાયું. તેમજ સમગ્ર રાજકોટ લેવલે જરૂરિયાતવાળા કોઈપણ જૈન કુટુંબને સોનલ સદાવ્રત માટેનાં ફોર્મ પણ આપવામાં આવ્યાં હતા. આ ફોર્મ ભરીને તા. ૧૮ના રવીવારે સવારે ૯.૧૫ કલાકે આપી જવા. તેમજ જે આ ફોર્મ લેવાનાં બાકી હોય તેમણે તા. ૧૮ના રવીવારે સવારે ૯.૧૫ કલાકે લઈ જવા જણાવાયું છે. સમગ્ર રાજકોટમાં માનવરાહત વિતરણમાં પણ નાલંદા ઉપાશ્રય નંબર વન છે.

આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંધાણી, પ્રદિપભાઇ માવાણી, નીલેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ મહેતા, જયભાઈ વોરા, મનોજભાઈ તથા શીલ્પાબેન પારેખ ,અને જંકશન યુવક મંડળના ભાઈઓ, તેમજ સોનલ સેવા મંડળના તરૂબેન કામદાર, રીટાબેન બાવીસી, ક્રીષ્નાબેન દોશી, કલ્પનાબેન કોઠારી, બીન્દુબેન મહેતા, ચારૂબેન વોરા, વગેરેએ સેવા બજાવી હતી.

(2:50 pm IST)