Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિશિષ્ટ ક્ષેત્રે પ્રતિભાઓનું રાજનીતિ કી પાઠશાલા દ્વારા કાલે સન્માન

ડો.એ.પી.જે અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડથી એન્યાત કરાશે

રાજકોટ,તા. ૧૪: રાજનીતિ કી પાઠશાલા દ્વારા વિશિષ્ટ ક્ષેત્રે પ્રતિભાઓનું આવતીકાલે ડો.એ.પી.જે. અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડ મહેશ રાજપુત અને અજય પાંડેના હસ્તે એનાયત કરવામાં આવશે.

રાજનીતિ કી પાઠશાલા દ્વારા કાલે તા.૧૫ના ગુરૂવારના રોજ વિશિષ્ટ ક્ષેત્રે પ્રતિભાઓનું ડો.એ.પી.જે.અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવશે તેમજ છેલ્લા ૩ વર્ષથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમજ સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનું ડો.એ.પી.જે.અબ્દુલ કલામ મેમોરિયલ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવશે. આ વર્ષે સેમિનાર ૨-કમલાદેવી કોમ્પલેક્ષ, ગેટ નં.૧, ૪૦ મેકસ મુલેર માર્ગ, લોધી રોડ, ન્યુ દિલ્લી ખાતે સાંજે ૬:૦૦ કલાકે યોજાશે તેવું રાજનીતિ કી પાઠશાલા ના સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(4:00 pm IST)