Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેવાડાના પછાત વિસ્તારના બાળકોને મીઠાઇ - ફટાકડાનું વિતરણ

રાજકોટ : ઝુપડપટ્ટીઓ અને પછાત વિસ્તારોમાં વસતા બાળકો માટે તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવતી  સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ધનતેરસના શુભ દિવસે વિવિધ પછાત વિસ્તારોમાં જઇ બાળકોને મીઠાઇ, ચોકલેટ અને ફટાકડાનું વિતરણ કરાયુ હતુ. આ સત્કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.  મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણી સાથે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, કૃણાલ સ્ટ્રચર ઇન્ડીયાના અરવિંદભાઇ દોમડીયા, રામ ફાયરવર્કર્સના વિક્રમભાઇ લાલવાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, દુર્ગાબા જાડેજા, બાબુભાઇ આહીર, અંજનાબેન મોરઝરીયા, પ્રિતિબેન પનારા, વોર્ડ નં. ૧ ના પ્રમુખ હિતેષભાઇ મારૂ, નગર પ્રા.શિ. સમિતિના સભ્ય મુકેશભાઇ મહેતા તથા કર્મચારીઓ સાથે જોડાયા હતા. મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઇન્દીરાનગર, સાત હનુમાન સહીતના વિસ્તારોમાં આ વિતરણ કરાયુ હતુ. સમગ્ર વિતરણ કાર્યને સફળ બનાવવા સંસ્થાના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, પૂર્વીબેન વાડોલીયા, અંજનાબેન રત્નોતર, પ્રેમ જોષી, વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોષી, દેવજીભાઇ પરમાર, અનુપમભાઇ રાવલ, કેતનભાઇ ઠાકોર, હરદિપસિંહ ઝાલા, પારસભાઇ બાખડા, કાંતિભાઇ નિરંજની, નિરાલીબેન રાઠોડ, જયપાલભાઇ સોલંકી, સાગરભાઇ પાટીલ, ભાવનાબેન જયપાલ, જલ્પાબેન અગ્રાવત વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:35 pm IST)