Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા રાહત દરે મીઠાઇ ફરસાણ

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા આ કોરોના મહામારીને લીધે હાલ કોઇ કાર્યક્રમ યોજી શકાય એમ નથી પરંતુ આપણા સમાજ પરિવારના લોકોને ખૂબ જ વ્યાજબી ભાવે શુદ્ધ મીઠાઇ અને ફરસાણ મળી રહે તે માટે એક આયોજન કરેલ. બ્રહ્મ પરિવારના ર૦૦થી વધુ કુટુંબોએ તેનો લાભ લીધો હતો. પ૦૦થી વધુ કિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના મેનેજીંગ ટ્રસ્ટી દર્શિતભાઇ જાની, પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ મહામંત્રી, વિપુલભાઇ શુકલની આગેવાની હેઠળ ટીમના સભ્યો મુકેશભાઇ ઠાકર, વૈશાલીબેન શુકલ, દિપાબેન ભટ્ટ, વિમલભાઇ જાની, નિકેતભાઇ જોશી, માલતીબેન જાની, હિતેન્દ્રભાઇ જાની, વિક્રમભાઇ રાવલ, સતિષભાઇ રાવલ, કલ્પેશ રાવલ, કરણ જાની, મીનાક્ષીબેન જોશી, હેમાનીબેન રાવલ, ભાસ્કરભાઇ જોશી, ધાત્રીબેન ભટ્ટ, દુષ્યંતભાઇ રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:35 pm IST)