Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચૂંટણી નિરીક્ષક મનીષા ચાંદ્રા આજથી ફરી રાજકોટમાં : સંવેદનશીલ બૂથો અંગે ખાસ મીટીંગ

કલેકટર - આર.ઓ. પાસેથી તૈયારી - મતગણત્રી સ્થળ અંગે વિગતો જાણશે

રાજકોટ તા. ૧૫ : રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત - તાલુકા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે નિમેલા ચૂંટણી નિરીક્ષક અને રાજકોટના ભૂતપૂર્વ કલેકટર ડો. મનીષા ચાંદ્રા આજથી ફરી બપોરે ૧૨ વાગ્યાથી રાજકોટ આવી રહ્યા છે.

તેઓ રાજકોટ આવ્યા બાદ પોલીસ તંત્ર - કલેકટર - આર.ઓ. સાથે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો અંગે ખાસ મીટીંગ કરશે, ગોઠવવામાં આવનાર પોલીસ બંદોબસ્ત - તેનો પ્લાન જાણશે, આ ઉપરાંત ચૂંટણીની તૈયારીઓ - મતગણતરી સ્થળ અંગે પણ ખાસ વિગતો જાણશે.

(3:20 pm IST)