Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જાગતો રહે તે જોગી, સુઇ જાય તે સંસારી : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

ગિરનારે ગુંજ્યો 'અભયદયાણં આત્મકલ્યાણ' શ્રી ભાગવત જૈન દીક્ષા મહોત્સવનો નાદ : રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે શ્રીમુખેથી નવ આત્માઓને દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કર્યા

રાજકોટ,તા. ૧૫:રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગિરનારની ધન્ય ધરા પર ફરી એકવાર નવ-નવ આત્માઓને દીક્ષાના કલ્યાણ દાન આપવામાં આવતાં પ્રભુ નેમનાથના દરબારમાં અનંત આત્માઓની સાથે ઓર નવ આત્માના પ્રવેશનો મંગલમય પ્રારંભ થયો હતો.

તીર્થંકર પ્રભુ નેમનાથ અને સતી રાજુલના સિધ્ધત્વની સાધનાનો યુગો યુગોથી ગુંજારવ કરી રહેલાં ગરવા ગિરનારની ધરા પર શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ સોની પરિવારના લાભાર્થી શ્રી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે આયોજિત કરવામાં આવેલાં મુમુક્ષુ શ્રી ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રી શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ શ્રી એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ શ્રી નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ શ્રી અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ શ્રી આયુષીબેન મહેતા, મુમુક્ષુ શ્રી નિધિબેન મડીયા, મુમુક્ષુ શ્રી મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ શ્રી દીયાબેન કામદારના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે We Jain-One Jain સાથે જોડાએલાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત તેમજ ઉત્ત્।ર ક્ષેત્રના મળીને સમગ્ર ભારતના ૧૦૮દ્મક વધુ જૈન સંદ્યોની સાથે અમેરિકા, લંડન, સુદાન, દુબાઈ, કોંગો, મલેશિયા, સિંગાપુર આદિ વિદેશના અનેક ક્ષેત્રોના સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ ૨૫ લાખથી પણ વધુ ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને ધન્યાતિધન્ય બન્યાં હતાં.

આ અવસરે, નેમ દરબારમાં શ્રી ઇન્દ્રભારતીજી બાપુ, શ્રી મુકતાનંદજી સ્વામી, શ્રી શેરનાથજી બાપુ, શ્રી દલપતગિરીજી બાપુ તેમજ શ્રી મહત્ત્।ાનંદજી મહારાજ તેમજ જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ વિશેષ ભાવ સાથે પધાર્યા હતાં.

મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ વહેલી સવારે સુરેશભાઈ કામદારના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો. ત્યાગી આત્માઓના જયકાર, લહેરાતાં ધર્મ ધ્વજ, જિન શાસનની ગૌરવ ગાથા ગુંજવતાં સૂત્રો, અષ્ટ મંગલના શુભ પ્રતિક, મસ્તકે કલશધારી બહેનો અને સેંકડો ભાવિકોથી શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા વાજતે ગાજતે શ્રી નેમ દરબારના પ્રાંગણમાં વિરામ પામતાં જ લાખો હૃદયના ઉછળતાં ભકિતભાવ સાથે દીક્ષાર્થીઓના ભવ્યાતિભવ્ય સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીઓની ભાવ અભિવ્યકિત બાદ લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન તેમજ એમના લલાટે વિજય તિલક કરીને જેમ પીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું હોય એમ અંતિમવાર માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને, સંસારને અલવિદા કરીને વેશ પરિવર્તન કરવા માટે ઉત્સાહ પૂર્વક દોટ મૂકતાં દૃશ્યો લાખો ભાવિકોના રોમ રોમને સ્પંદિત કરી ગયાં હતાં.

ઉપરાંતમાં, ગિરનારની સાક્ષીએ તેને વંદન કરતાં કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મૂંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દૃશ્યો નિહાળીને લાખો ભાવિકોની આંખ અશ્રુભીની થઈ હતી.

લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચે નવ મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ ધારણ કરીને ગુરૂ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરવા પધારતાં જ સહુના હૃદય અભિવંદિત બની ગયાં હતાં. વેશ પરિવર્તન કરીને પધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવી હતી. દિવસો અને મહિનાઓથી જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં એવી ધન્યાતિધન્ય ક્ષણ આવી હતી જયારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે મુમુક્ષુઓના માતા-પિતા, ધર્મ માતા-પિતા, શ્રી ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિના સભ્યો, શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના સભ્યો તેમજ સ્વયં મુમુક્ષુ આત્માઓની આજ્ઞા સ્વીકૃતિ લઈને ગિરનારના સાંનિધ્યે ગિરનાર દર્શન કરતાં-કરતાં આમ્રવૃક્ષની છાયામાં નાભિનાદ સાથે, બ્રહ્મસ્વરે દિવ્ય મંત્ર ધ્વનીના ઉદદ્યોષણા કરવામાં આવી.

સહુના અંતરની પ્રતિક્ષાનો અંત કરતાં નૂતન દીક્ષિત પૂજય સંત-સતીજીઓના લાભાર્થી પરિવારો દ્વારા નૂતન નામકરણની દ્યોષણા થઈ. નૂતન દીક્ષિત સંત-સતીજીઓના નૂતન નામ પૂજય શ્રી પરમ વિનયમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી પરમ નેમિશ્વરાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ ઋજુમિત્રાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સુરમ્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ શ્રીજિનેશ્વરાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સંવેગીજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજી સ્વરૂપે દ્યોષિત કરવામાં આવતાં સર્વત્ર નુતન દીક્ષિતોનો જયદ્યોષ ગૂંજી ઉઠ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે લાઈવના માધ્યમે દીક્ષા મહોત્સવની શુભેચ્છા અર્પણ કરતાં કહ્યું હતું કે, છેલ્લાં સાત વર્ષમાં ૩૭ આત્માઓ સાથે આ નવ આત્માઓને ભગવાન બનવાના પંથ માટે યોગ્ય બનાવનારા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પુરુષાર્થને વંદન કરીએ, એમના માતા-પિતાના ત્યાગને વંદન કરીએ. મહંત શ્રી મુકતાનંદજી બાપુએ આ અવસરે સુંદર ભાવો સાથે દીક્ષાર્થીઓને શુભેચ્છા અર્પણ કરી હતી. પધારેલાં દરેક સ્વામીઓનું આ અવસરે સાલ અને રજત શ્રીફળ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ગિરનારની ધરા પર સેવા, સાધના અને માનવતાના ધર્મ સંકુલ સ્વરૂપ પારસધામ-ગિરનારની ઉદદ્યોષણા કરવામાં આવતાં જય જયકારથી સહુએ વધાવી લીધી હતી, સાથે તેના ભૂમિપૂજન માટેના મંગલ કલશ પર કેસર છાંટણા કરીને લાભાર્થી દ્વારા સદભાવના પ્રગટ કરવામાં આવી હતી.

ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ અને શ્રી સરદારનગર સંઘના હરેશભાઈ વોરાએ પરમ ગુરુદેવની અને મુમુક્ષુઓને શુભેચ્છા અર્પણ કરી હતી.

માતુશ્રી મંજુલાબેન શાંતિલાલ અજમેરા પરિવાર તરફથી માતબર રકમ વડીયા ગામની ગોશાળા અર્થે જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉપરાંતમાં નવ નવ આત્માના સંસાર ત્યાગ નિમિત્ત્।ે પરમ ગુરુદેવની પ્રેરણાથી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન-રાજકોટ તરફથી કબૂતરોના ચણ માટે માતબરનું અનુદાન અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે અબોલ જીવોને પીડા ન થાય તે માટે પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ન કરતાં પેપર બેગનો ઉપયોગ કરવાની અનેક આત્માઓએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.

(4:07 pm IST)