Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આવતીકાલે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વસંત પંચમી ઉત્સવ

માસ્ક-હેન્ડ સેનીટાઇઝેશન-સોશ્યલ ડીસ્ટન્શ સાથે કાર્યક્રમ

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો-ઓશો સન્યાસ ઉત્સવ ભજન કિર્તન-ગીત-સંગીત-વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આવતીકાલે તા.૧૬ને મંગળવારના રોજવસંત પંચમી નીમીતે રાબેતા મુજબ હર વસંત પંચમી માફક ઉત્સવ ઉજવવામાં આવશે. ઉત્સવનો સમય સાંજના ૬.૪પ થી ૭.૪પ દરમ્યાન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

 સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદ્યવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ.

કાર્યક્રમમાં સહભાગીતા માટે આધારકાર્ડની ઝેરોક્ષ લાવવા અત્યંત જરૂરી છે.  વિશેષ માહીતીઃ સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, રાજીવ રાઠોડ-૯૮ર૪૮ ૮૬૦૭૦.

(4:10 pm IST)