Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગી રહેલા સહદેવસિંહનું કારની ઠોકરે મોત

સૈનિક સોસાયટીના યુવાન માતાનો આધારસ્તંભ હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે રસ્તો ઓળંગી રહેલા યુવાનને કારના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ સૈનિક સોસાયટીમાં રહેતાં સદહેવસિંહ દેવીસિંહ જાડેજા (ઉ.વ.૪૨) સાંજે સવા છએક વાગ્યે માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે જીજે૦૧એચએલ-૨૬૨૫ નંબરની સાન્ટ્રો કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ જે. જી. રાણાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃત્યુ પામનારના પિત્રાઇ ભાઇ સૈનિક સોસાયટીના મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર સહદેવસિંહના પિતા પોલીસમાં નોકરી કરતાં હતાં. સહદેવસિંહ હાલમાં માતા અને એક પુત્રી સાથે રહેતાં હતાં. આધારસ્તંભ  દિકરો છીનવાઇ જતાં માતા શોકમાં ગરક થઇ ગયા હતાં.

(12:47 pm IST)