Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સામા કાંઠાના દર્દીઓ માટે રોજ ૧૦૦ સીટી સ્કેન મફત

ગોકુલ હોસ્પિટલમાં જનજીવનભાઇ સખિયાનો સેવાયજ્ઞ

રાજકોટ તા. ૧પઃ ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રણછોડદાસજી આશ્રમ પાસે, રાજકોટના મેનેજીંગ ડીરેકટર શ્રી જગજીવનભાઇ સખિયાએ કપરા કોરોના કાળમાં સામા કાંઠા વિસતારના (વોર્ડ નં. ૪, પ, ૬ વગેરે) દર્દીઓ માટે વિનામુલ્યે સીટી સ્કેનની સેવા શરૂ કરી છે. રોજના ૧૦૦ દર્દીઓમાં એચ.આર.સી.ટી. સ્કેન પોતાના તરફથી કરાવી આપવાની ઓફર તેમણે કરી તેનો પ્રારંભ કરી દીધો છે.

 

આ સેવાયજ્ઞ તા. ૧પ થી ૧૭ તથા તા. ૧૯ થી ર૧ એપ્રિલ સુધી ચાલશે. લાભાર્થી દર્દીનું આધાર કાર્ડ અને સીટી સ્કેનની જરૂરીયાત દર્શાવતો તબીબી પત્ર સાથે રાખવો આ સેવાકીય અભિગમનો શ્રેય શ્રીમતી વિજયાબેન અને શ્રી જગજીવનભાઇ સખિયાના ફાળે જાય છે. વધુ માહિતી માટે ગોકુલ હોસ્પિટલનો સંપર્ક સાધવો.

(2:49 pm IST)