Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગોૈતમનગરમાં અરજણભાઇ પર 'તમે પૈસા ખાઇ ગ્યા છો' કહી પાઇપથી હુમલો

બાબાસાહેબની પ્રતિમા હટાવવા મામલે શરૂ થયેલા વિવાદમાં વધુ એકનો ઉમેરો

રાજકોટ તા. ૧૫: નાના મવા રોડ પર ભીમનગર પાસે ગોૈતમનગરમાં આવેલા પ્લોટમાંથી ડો. બાબાસાહેબની પ્રતિમા હટાવવા મામલે શરૂ થયેલા વિવાદમાં વધુ એક ઉમેરો થયો છે. ભીમનગરમાં રહેતાં અરજણભાઇ કેશુભાઇ સોલંકી (ઉ.વ.૫૪) માથામાં ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

અરજણભાઇ સવારે સ્કૂટર લઇને જતાં હતાં ત્યારે ઘર નજીક ભરત તથા તેની સાથેના શખ્સોએ પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં પાંચ ટાંકા આવ્યા હતાં. અરજણભાઇના કહેવા મુજબ પોતે વાહન પર નીકળતાં શખ્સોએ તમે પ્રતિમાના પૈસા ખાઇ ગયા છો તેમ કહીને હુમલો કરાયો હતો અને ધમકી અપાઇ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)