Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાજપ દ્વારા કાલથી સદસ્‍યતા અભિયાન

વિવિધ મોરચાના આગેવાનો - કાર્યકરો બજારોમાં ઉતરશે

રાજકોટ તા. ૧૫ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે રાષ્‍ટ્રીય જનતા પાર્ટીની  યોજનાનુસાર આવતીકાલ તા.૧૬ જુનથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ થઈ રહયો છે તે અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર.પાટીલજીના નેતૃત્‍વમાં પ્રાથમિક સદસ્‍યતા અભિયાન યોજાશે.

આવતીકાલે સવારે ૧૦:૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના આગેવાનોની ઉપસ્‍થિતિમાં આ સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે અને ત્‍યારબાદ શહેરના તમામ વોર્ડમાં  પ્રાથમિક સદસ્‍યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે તેમજ શહેરના વિવિધ મોરચાઓને પણ શહેરના મુખ્‍ય ચોક જેમકે મોલ, બસ સ્‍પોટ, રેલ્‍વે સ્‍ટેશન, મુખ્‍ય બજારો, માં જઈ શહેરની જનતાને પ્રાથમિક સદસ્‍ય બનાવાશે.

યુવા મોરચા દ્વારા શહેરના શૈક્ષણીક સંકુલો, નવા મતદારો અને યુવાનોને સભ્‍ય બનાવવામાં આવશે તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા વિવિધ સમાજના આગેવાનોને, સંસ્‍થાના હોદેદારોને, નામાંકિત કલાકારો, સી.એ, વકીલ, ડોકટરો, ઉદ્યોગપતીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્‍ય બનાવી દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સપનાને સાકાર કરશે  મો. નં. ૭૮૭૮૧૮ર૧૮ર ઉપર મીસ્‍ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્‍ય બની શકશે.

આ સદસ્‍યતા અભિયાનના ઈન્‍ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંયોજક તરીકે જીતુ કોઠારી, સહ સંયોજક તરીકે નિતીન ભુત, હાર્દીક બોરડ જવાબદારી સંભાળશે. તેમ યાદીના અંતે જણાવાયું છે.

(3:57 pm IST)