Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

હાસ્‍યના ફૂવારામાં લોકો ભીંજાયાઃ દાતાઓનું સન્‍માન

રાજકોટઃ સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે વિનામુલ્‍યે યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો છેલ્લો કાર્યક્રમ હસાયરો લોકોએ માણ્‍યો હતો. આ કાર્યક્રમ માં ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દાતાઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યુ હતું. આ હસાયરામાં માયાભાઇ આહીર, કીર્તીદાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાએ લોકોને ખૂબ હસાવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વરાજયપાલ વજુભાઈ વાળા, રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, કલેકટર અરૂણ મહેશ બાબુ, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે સરગમ પરિવારના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતિબેન વસાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્‍યાસ, ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, ગીતાબેન હીરાણી અને મધુરીકાબેન જાડેજાના હસ્‍તે મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.  
 આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ આપનાર બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, પૂજારા ટેલિકોમના યોગેશભાઈ પૂજારા, રોલેક્‍સ રોલ્‍ડ રિંગ્‍સના મનીષભાઈ માડેકા, કલાસિક નેટવર્કના સ્‍મિતભાઈ પટેલ, જે.પી. ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના જગદીશભાઇ ડોબરિયા, ડી.એમ.એલ. ગ્રૂપના હરેશભાઈ લાખાણી, જે.એમ.જે. ગ્રૂપના મયૂરધ્‍વજસિંહ જાડેજા, અમિધારા ડેવલપર્સના જીતુભાઈ બેનાણી વગેરેનું મોમેન્‍ટો આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ અકબરી, જગદીશભાઈ કિયાડા, ઘનશ્‍યામભાઈ પરસાણા, કૌશિકભાઈ વ્‍યાસ, કિરીટભાઇ આડેસરા, ગુણવંતભાઈ ભટ્ટ, કૈલાશબા વાળા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન  શાહ,  પૂજાબેન વાળા, દેવાંશીબેન શેઠ, દ્રષ્ટીબેન શેઠ, હિનાબેન  પારેખ, નીતા પરસાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી

 

(4:24 pm IST)