Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

માનસિક બિમારીથી કંટાળીને પગલુઃ ઘર પાસેના બગીચામાં ફિનાઇલ પી સગરામભાઇનો આપઘાત

નટરાજનગર પાસે ન્‍યુ બાલમુકુંદમાં બનાવઃ ભરવાડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જવાળા રોડ પર નટરાજનગર પાસે ન્‍યુ બાલમુકુંદ પ્‍લોટમાં રહેતાં સગરામભાઇ ઘોઘાભાઇ ધોળકીયા (ભરવાડ) (ઉ.વ.૪૦)એ વહેલી સવારે ઘર પાસે જ આવેલા બગીચામાં જઇ ફિનાઇલ પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. સગરામભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે અગાઉ છકડો રિક્ષા હંકારતાં હતાં. હાલમાં માનસિક હાલત ખરાબ હોઇ તેના કારણે કામે જઇ શકતા નહોતાં. માનસિક બિમારીને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(5:05 pm IST)