Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સિદ્ધિ વિનાયક ધામ ખાતે દરરોજ શંખનાદ સાથે આરતી

રાજકોટઃ. ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય - સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દરરોજ શંખનાદ સાથે આરતી થાય છે, ત્યારે પાંચમા દિવસે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ વોર્ડ નં. ૯માંથી શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, વોર્ડ મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, રક્ષાબેન વાયડા, જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, જાગૃતીબેન ભાણવડીયા, કુલદીપસિંહ જાડેજા, દેવયાનીબેન માંકડ, આશિષ ભટ્ટ, ભૂપતભાઈ સેગલીયા, સુરેશ જલાલજી, દેવ ગજેરા, જગદીશ પટેલ, પ્રદીપ ધાંધલ, મનીષ પટેલ, મહેશ બાવરવા, રાજુભાઈ ઉપાધ્યાય, સંજય ભાલોડીયા, નીરજ પંડયા, મેહુલ સભાડ, અલ્પેશ ભટ્ટ, નીલેશ માવાણી, રાજુભાઈ મોદી, રાજેન્દ્રસિંહ હાંડા અને વોર્ડ નં. ૧૦માંથી શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ, વોર્ડના પ્રભારી પ્રવીણભાઈ મારૂ, વોર્ડ પ્રમુખ રજની ગોલ, વોર્ડ મહામંત્રી હરેશ કાનાણી તેમજ અશ્વિન ભોરણીયા, ચેતન સુરેજા, નીરૂભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, મનીષ ડેડકીયા, અશ્વિન કોરાટ, નીલેશભાઈ ઉનડકટ, પ્રફુલાબેન મહેતા, મેઘાબેન વૈષ્ણવ, અલ્કાબેન ગોસાઈ, વિજયભાઈ ભટાસણા, ભરતસિંહ જાડેજા, રત્નદીપસિંહ જાડેજા, અનિરૂદ્ધ મિયાત્રા, બલરાજભાઈ રાણા, કુલદીપસિંહ જાડેજા તેમજ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહિતનાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ ગણપતિ મહારાજના પૂજન-અર્ચન કરી દર્શનનો લ્હાવો લીધો હતો. ત્યારે આજે તા. ૧૫-૯ના સાંજે વોર્ડ નં. ૧૧ તેમજ વોર્ડ નં. ૧૨ના કાર્યકર્તાઓ તથા આગેવાનો મહાઆરતીનો લાભ લેશે. એમ અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવેલ.

(3:31 pm IST)