Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કચ્છી દાળીયાવાળા પુજારા પરિવારનાં આંગણે સતત ૯ માં વર્ષે ગણપતિ આરાધના

લોહાણા જ્ઞાતિના પુજારા પરિવારનાં આંગણે સતત ૯માં વર્ષે શ્રી ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. પુજા-અર્ચના અને ગજાનનની આરતી સાથે સૌ કોઇએ આ પાવન અવસરની દિવ્યતાને આત્મસાત કરી હતી. પુજા અર્ચના બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઇ પ્રસાદનો લાભ લઇ આ મંગલ અવસરમાં સહભાગી બન્યા હતા.ગણપતિની સાધના-આરાધનાના આ અદ્દભૂત આયોજન બદલ પુજારા પરિવારના મોભી હરજીવનભાઇ મંગળજીભાઇ-કચ્છી  દાળીયાવાળા અને તેમના પુત્રો પ્રફુલભાઇ, રાજુભાઇ અને જીતેનભાઇ પુજારા ઉપર જલીયાણ બંગલોઝમાં આયોજીત આ અવસરમાં સહભાગી થનાર સૌએ શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરમાં સહભાગી થનાર સૌ કોઇનો પુજારા પરિવાર ધન્યવાદ માની કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરી હતી. 

(3:32 pm IST)