Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અંબાના ઉંચા મંદિર નીચા મોલ રે... ઝરૂખડે દિવા બળે રે લોલ...

શ્રી આનંદી ગરબી મંડળ : ૧-લક્ષ્મીનગર આનંદી આશ્રમ ચોક ખાતે છેલ્લા ત્રણ દાયકાથી અશ્વિની નવરાત્રીનો ભકિતભાવથી ખૂબ દિવ્ય - ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હાલ ગરબી મંડળની ૧૨૦ બાળાઓ તલવાર રાસ, ખંજરી રાસ, મંજીરા રાસ, ટીપ્પણી રાસ જેવા ૭૪ પ્રકારના રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા દિલીપભાઇ ચાવડીયા, રમેશભાઇ ચાવડીયા,  ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, રવિભાઇ ચાવડીયા, વિશાલભાઇ વાઘેલા, મનોજભાઇ પાડલીયા, દિપકભાઇ મૂળાસીયા, પરેશભાઇ હરણેશા તથા સમગ્ર આનંદી એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારના સભ્યો જહેમત ઉઠાવે છે.(તસ્વીર : અશોક બગથરિયા)

(3:09 pm IST)