Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બાળકૃષ્ણા ગરબી મંડળ ભારતીયનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતીઃ લ્હાણી વિતરણ

રાજકોટઃ આદ્યશકિતની આરાધનાનું પાવન પર્વ આસો નવરાત્રીની પૂર્ણાહૂતિ એ શરદપૂનમના રામાપીર ચોકડી પાસે ભારતીયનગર સોસાયટી-૬/૮ ના ચાચર ચોકે નાની-નાની ૩૧ બાળાઓ ગરબે રાસ રમી ર્માંને સતુતિ આરાધાનાથી વિનવે છે. ર્માંના ગરબા લેતી આ બાળાઓ વિવિધ રાસો લેતી બાળાઓ સૌની મંત્રમુગ્ધ કરી દે છે. આ નવરાત્રીના નવે દિવસ બાળાઓને વિવિધ લ્હાણી પ્રસાદીના વિતરણ કરતા ભાવિકોએ ધન્યતાનો ભાવ જોવા મળે છે. આ બાળકૃષ્ણ ગરબી મંડળનું આ બીજુ વરસ હતું. બાળાઓને અવનવા રાસોથી ભકિતમય નવરાત્રીની ઉજવણી કરતા કાર્યકરોમાં  જાનુબેન સભાડ, નિધિબેન સુરાણી, ધારાબેન કટકીયાએ વિવિધ રાસોની પ્રેકટીસ કરાવી હતી. આ નવલા નોરતાના આયોજકોમાં પ્રમુખ ધર્મેશ સભાડ, સંદીપ નકુમ, ભરતભાઇ દક્ષીણી, વિશાલ સુરાણી, રમેશ કાકા ગોહેલ, હર્ષદ નકુમ, વિજયભાઇ સભાડ, નટુભાઇ સોનાગ્રા, રાજુભાઇ ડાભી, આશિષ કોઠારી સાથે પત્રકાર અલ્પેશ ગોહેલે જહેમત  ઉઠાવી હતી.

(3:54 pm IST)