Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મ.ન.પા.ના પદાધિકારીઓ દ્વારા પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ : ગઈકાલ તા.૧૪ના રોજ પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૨મી જન્મજયંતી પ્રસંગે તેઓની પ્રતિમાને મ.ન.પા.ના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન.મેયર ડો.પ્રદિપ ડવ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, પરેશભાઈ પીપળીયા, વિનોદભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, કંચનબેન સિધ્ધપુરા, કંકુબેન ઉધરેજા, મંજુબેન કુંગસીયા, દક્ષાબેન વાઘેલા, અલ્પાબેન દવે, લીલુબેન જાદવ, અગ્રણી દીપકભાઈ દવે વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.

(2:59 pm IST)