Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રામનગરમાં આપઘાતનો પ્રયાસ કરનાર વિશાલે અમદાવાદમાં દમ તોડી દીધો

યુવાને દોઢ મહિના પહેલા ગળાફાંસો ખાઇ લીધો'તો

 

રાજકોટ તા. ૧પઃ થોરાળાના ખોડીયાર પરામાં આવેલ રામનગરમાં દોઢ મહિના પહેલા ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

મળતી વિગત મુજબ ખોડીયારપરા રામનગર શેરી નં. ૧ માં રહેતા વિશાલ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) એ ગત તા. ૯-૯ના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતા પરિવારજનો જોઇ જતા વિશાલને તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદ તેને વધુ સારવાર મળે ગત તા. ૧૧/૯ના રોજ અમવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું તા. ર૭-૯ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે શાહીબાગ પોલીસ ચોકીના એએસઆઇ રાજબહાદુરભાઇએ પ્રાથમીક કાગળો કરી રાજકોટ થોરાળા પોલીસ મથકમાં મોકલતા હેડ કોન્સ. આર. એસ. મેરે તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)